Rajkot : જામકંડોરણા શહેરના નગરનાકા વિસ્તારમાં આવેલ રામજી મંદિર પાસે વાહનોમાં તોડફોડની ઘટના બની છે. આરોપ છે કે ધારાસભ્ય જયેશ રાદડિયાના કાકા ગોપાલ રાદડિયા અને અન્ય 5થી7 લોકોએ પૂજારીઓના વાહનોમાં તોડફોડ કરી છે.
આ ઘટના 19 એપ્રિલની રાત્રિએ બની હતી, જ્યારે મંદિરમાં પૂજારી પરિવારની માત્ર મહિલાઓ હાજર હતી. આ દરમિયાન બીભત્સ ગાળો બોલી અને વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે.
પરિવારે રાજકોટ ગ્રામ્ય એસ.પી.ને લેખિતમાં રજૂઆત કરી છે અને જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી છે. છતાં, આરોપ મુજબ હજુ સુધી કોઈ કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી.
આ મામલો અત્યારે ગંભીર બન્યો છે. ખાસ કરીને સ્ત્રીઓની હાજરીમાં અપમાનજનક વર્તન થતું હોય ત્યારે આ મામલે કાર્યવાહી જરૂરી બની છે.
આ પણ વાંચો..
- Indian Navy અરબી સમુદ્રમાં પોતાની તાકાત બતાવી, એન્ટી-શિપ મિસાઇલ લોન્ચ કરી
- India and Pakistan તણાવ વચ્ચે ચીન પ્રવેશ કરશે કે નહીં? પૂર્વ આર્મી કમાન્ડરે આખી વાત સમજાવી
- IND vs SL : ભારતીય ટીમે જીત સાથે શરૂઆત કરી, શ્રીલંકાને 9 વિકેટથી એકતરફી હરાવ્યું
- Pahalgam સીડીએસ અનિલ ચૌહાણ રાજનાથ સિંહને મળ્યા, 40 મિનિટ સુધી ચાલી મુલાકાત
- Suryakumar Yadav એ રોહિત-વિરાટને પાછળ છોડી દીધા, આવું કરનાર સૌથી ઝડપી ભારતીય બન્યા, ઓરેન્જ કેપ પણ કબજે કરી