Rajkot : જામકંડોરણા શહેરના નગરનાકા વિસ્તારમાં આવેલ રામજી મંદિર પાસે વાહનોમાં તોડફોડની ઘટના બની છે. આરોપ છે કે ધારાસભ્ય જયેશ રાદડિયાના કાકા ગોપાલ રાદડિયા અને અન્ય 5થી7 લોકોએ પૂજારીઓના વાહનોમાં તોડફોડ કરી છે.
આ ઘટના 19 એપ્રિલની રાત્રિએ બની હતી, જ્યારે મંદિરમાં પૂજારી પરિવારની માત્ર મહિલાઓ હાજર હતી. આ દરમિયાન બીભત્સ ગાળો બોલી અને વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે.
પરિવારે રાજકોટ ગ્રામ્ય એસ.પી.ને લેખિતમાં રજૂઆત કરી છે અને જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી છે. છતાં, આરોપ મુજબ હજુ સુધી કોઈ કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી.
આ મામલો અત્યારે ગંભીર બન્યો છે. ખાસ કરીને સ્ત્રીઓની હાજરીમાં અપમાનજનક વર્તન થતું હોય ત્યારે આ મામલે કાર્યવાહી જરૂરી બની છે.
આ પણ વાંચો..
- Maharashtra: ભયાનક અકસ્માત; પિકઅપ વાહન પલટી જતાં 6 શ્રદ્ધાળુઓના મોત; 10 થી વધુ ગંભીર રીતે ઘાયલ
- Ahmedabad: વિરમગામમાં આંગડિયા કર્મચારીના અપહરણ અને લૂંટના ગુનામાં ચારની ધરપકડ
- દિવાળી સમયે ભારતીય કળદા પાર્ટીએ ખેડૂતોને ખોટા કેસોમાં ફસાવીને પરિવારથી દૂર કર્યા: Isudan Gadhvi
- Ahmedabad: ફોન પકડીને એક હાથે ચલાવતો સ્કૂટર, લપસીને પડી ગયો; મોતના મોમાંથી આવ્યો બહાર
- kali chaudash 2025: આજે કાળી ચૌદશ, પૂજાની પદ્ધતિ અને વાર્તા જાણો