Rajkot : જામકંડોરણા શહેરના નગરનાકા વિસ્તારમાં આવેલ રામજી મંદિર પાસે વાહનોમાં તોડફોડની ઘટના બની છે. આરોપ છે કે ધારાસભ્ય જયેશ રાદડિયાના કાકા ગોપાલ રાદડિયા અને અન્ય 5થી7 લોકોએ પૂજારીઓના વાહનોમાં તોડફોડ કરી છે.
આ ઘટના 19 એપ્રિલની રાત્રિએ બની હતી, જ્યારે મંદિરમાં પૂજારી પરિવારની માત્ર મહિલાઓ હાજર હતી. આ દરમિયાન બીભત્સ ગાળો બોલી અને વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે.
પરિવારે રાજકોટ ગ્રામ્ય એસ.પી.ને લેખિતમાં રજૂઆત કરી છે અને જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી છે. છતાં, આરોપ મુજબ હજુ સુધી કોઈ કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી.
આ મામલો અત્યારે ગંભીર બન્યો છે. ખાસ કરીને સ્ત્રીઓની હાજરીમાં અપમાનજનક વર્તન થતું હોય ત્યારે આ મામલે કાર્યવાહી જરૂરી બની છે.
આ પણ વાંચો..
- Indigo: સરકારે ઇન્ડિગોના સીઈઓને કારણદર્શક નોટિસ ફટકારી છે, 24 કલાકમાં જવાબ માંગવામાં આવ્યો
- Shashi Tharoor: હું વિવાદમાં પડવા માંગતો નથી,” થરૂરે રાષ્ટ્રપતિ ભવનમાં ભોજન સમારંભ પર કહ્યું, “આમંત્રણ નકારવું યોગ્ય નહોતું.”
- Pakistan: ભારત વિરુદ્ધ નવું ષડયંત્ર રચી રહ્યું છે? ધાર્મિક મેળાવડામાં મહિલા જેહાદીઓ દેખાય છે, સુરક્ષા એજન્સીઓ સતર્ક
- South Africa: કુલદીપ યાદવ અને પ્રસિદ્ધના પ્રભાવશાળી પ્રદર્શન પછી, યશસ્વી જયસ્વાલ ચમક્યા, ટીમ ઈન્ડિયાએ શ્રેણી જીતી લીધી
- Pm Modi: આઠ ટકા વૃદ્ધિ નવી ગતિનો સંકેત આપે છે’; પીએમ મોદી કહે છે કે ભારત વિશ્વમાં ઉચ્ચ વૃદ્ધિ અને ઓછી ફુગાવા માટે એક મોડેલ બન્યું





