Pahalgam attack : નડિયાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ નાગરીકોને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા. જિલ્લા પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં નડિયાદ સંતરામ મંદિર સર્કલ પાસે મીણબત્તી સળગાવી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા પહલગામ હુમલામાં માર્યા ગયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. જ્યાં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા પાકિસ્તાન હાય હાયના નારા લગાવાયા હતા. તેમજ ભારત આ હુમલાનો પાકિસ્તાની આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપશે, તેમ પણ જણાવ્યુ હતુ.
આ તરફ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યુ હતુ કે, દેશના લોકો જમ્મુ અને કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ ગણી અને દેશની પ્રવાસપ્રિય પ્રજા પ્રવાસ માણવા ગઈ હતી. આ દરમિયાન પાકિસ્તાનના આતંકવાદીઓએ કાયરતાપૂર્વક સેનાના વેશમાં આવી અને દેશના જુદા-જુદા રાજ્યના 28 જેટલા લોકોની હત્યા કરી નાખી.

તેમણે ઉમેર્યુ હતુ કે, સમગ્ર દેશમાં આ ઘટનાને લઈ આક્રોષ વ્યાપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર આ બાબતે સખત હરકતમાં છે અને આ શ્રદ્ધાંજલિનું મૌન આગામી દિવસોમાં આતંકવાદીઓના જીવનમાં મોટો ઘોંઘાટ બનીને બહાર નીકળશે. દેશ આજે 28 મૃતકોના પરીવારજનો સાથે ઉભો છે. તો નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ પણ આ હુમલાની ઘટનાની વખોડી નાખી હતી.
આ પણ વાંચો..
- crude oil: ક્રૂડ ઓઇલ ૧૦૦ ડોલરને પાર; કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર ભારે નુકસાન ભોગવી રહી છે
- sara ali khan: વિવાદાસ્પદ નિવેદન: શું સારા અલી ખાને પાર્ટીમાં કોઈ છોકરીને ધક્કો માર્યો હતો? ઓરીએ ઘટનાને યાદ કરીને કહ્યું, “તે મારી ભૂલ નહોતી…”
- chidambaram: ‘મને બૌદ્ધિક નક્સલ કહેવાનો આનંદ છે’: ચિદમ્બરમે પીએમ મોદીની ટિપ્પણી પર વળતો પ્રહાર કર્યો; તેમણે ‘અસંતુષ્ટ કાકા’ ની ટીકા વિશે શું કહ્યું?
- nepal: આપત્તિ પછી ચીન સાથે વેપાર ગતિશીલતા ખોરવાઈ ગઈ; તહેવારો પહેલા પુરવઠા સંકટનો ભય છે – અત્યાર સુધી થયેલા નુકસાનનું પ્રમાણ કેટલું છે?
- akshay kumar: શું ‘ખિલાડી’ કરીના સાથે બીજી ફિલ્મ કરશે? એક મોટો સંકેત; અભિનેતા તેના જન્મદિવસ પર ચાહકોને મળે છે




