Gujarat : અમરેલીના ગિરિયા રોડ પર આજે, 22 એપ્રિલ 2025ના રોજ, એક દુઃખદ વિમાન દુર્ઘટના ઘટી છે. વિઝન ફ્લાઈંગ ઇન્સ્ટિટ્યૂટના તાલીમ માટેના વિમાન VT-VDFનું રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું, જેમાં મહારાષ્ટ્રના તાલીમાર્થી પાયલટ અનિકેત મહાજનનું સ્થળ પર જ મોત થયું છે .

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિમાન ક્રેશ થતાં જ બે બ્લાસ્ટ થયા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડ અને પોલીસ તંત્રની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી, આગ પર કાબૂ મેળવ્યો અને બચાવ કામગીરી શરૂ કરી છે.
આ દુર્ઘટના અમરેલીના શાસ્ત્રીનગર વિસ્તારમાં, એરપોર્ટની નજીક ઘટી હતી. વિમાન તૂટી પડતાં તે ઝાડ નીચે પડ્યું, જેના કારણે બે વાછરડાં પણ સળગી ગયા છે.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ મહેસાણા અને જામનગરમાં પણ પ્લેન ક્રેશની ઘટનાઓ બની હતી, જેનાથી વિમાન સુરક્ષા અંગે ચિંતા વધતી જાય છે .
આ પણ વાંચો..
- lalit modi ભારત-પાકિસ્તાન દ્વિપક્ષીય શ્રેણી પર લલિત મોદીએ PCB પર નિશાન સાધ્યું, રાજકીયકરણનો આરોપ
- રૂપિયાને ઘટાડાથી બચાવવા માટે RBIનો ‘માસ્ટરપ્લાન’: તેલ કંપનીઓને કડક નિર્દેશો જારી!
- trump: લેબનોન અને ઇઝરાયલ વચ્ચે 10 દિવસનો યુદ્ધવિરામ: યુએસ પ્રમુખ ટ્રમ્પે જાહેરાત કરી
- Amit shah: દક્ષિણમાં બેઠકો સરેરાશ કરતાં વધુ વધશે… અમિત શાહે સંસદમાં સીમાંકનનું સંપૂર્ણ ગણિત સમજાવ્યું.
- pm modi: “સીમાંકન દરમિયાન કોઈ પણ રાજ્ય ભેદભાવનો સામનો કરશે નહીં; તે ગેરંટી છે,” સંસદમાં પીએમ મોદી કહે છે





