RCB vs PBKS IPL 2025 : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે ઘરઆંગણે જીત મેળવવો તે મોટો પડકાર બન્યો છે. શુક્રવારે રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમ પંજાબ કિંગ્સ સામે ટકરાશે. આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. RCB આ મેચ જીતવી હશે તો પંજાબના સ્પિનરોથી ચેતીને રહેવુ પડશે.
કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ચાર વિકેટ લઈને ફોર્મમાં પાછા ફરેલા ચહલનો સામનો કરવો કોઈપણ બેટ્સમેન માટે સરળ નથી, જ્યારે મેક્સવેલને તેના ખરાબ બેટિંગ પ્રદર્શન છતાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળવાની ખાતરી છે.

આરસીબી પાસે કૃણાલ પંડ્યા અને સુયશ શર્માના રૂપમાં સારા સ્પિનરો છે અને ટીમ તેમની પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે. પંજાબની ટીમ પાસે અર્શદીપ સિંહ અને માર્કો જેનસેનના રૂપમાં સારા ફાસ્ટ બોલરો છે, જોકે તેઓ RCBના જોશ હેઝલવુડ અને ભુવનેશ્વર કુમાર જેટલા અનુભવી નથી.
પહેલી વાર શ્રેયસ અને પાટીદાર સામસામે આવશે
કેપ્ટન રજત પાટીદાર અને શ્રેયસ ઐયરમાં બહુ ઓછી સામ્યતા છે. આ ટુર્નામેન્ટમાં બેટ્સમેન તરીકે ઉત્તમ રેકોર્ડ ધરાવતા ઐયરે IPL વિજેતા કેપ્ટન તરીકે પોતાની ઓળખ સાબિત કરી છે.
બીજી બાજુ, પાટીદાર આઈપીએલમાં પહેલી વાર કેપ્ટન બન્યો છે, પરંતુ આ તફાવત ત્યાં જ સમાપ્ત થાય છે કારણ કે આ બંને ખેલાડીઓ પોતાનું શાંત વલણ જાળવી રહ્યા છે અને ખૂબ જ કાર્યક્ષમતા સાથે પોતાની ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. આ બંને ખેલાડીઓ સ્પિન બોલિંગ સામે સારા બેટ્સમેન માનવામાં આવે છે અને તેથી બેટિંગમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.
કોલકાતા સામે ઓછા સ્કોરવાળી મેચમાં વિજયથી પંજાબને ઉત્સાહ મળ્યો હોત, પરંતુ તેમણે આરસીબીથી સાવધ રહેવું પડશે, જેમની બેટિંગ અને બોલિંગમાં ઘણી ઊંડાઈ છે અને તેમને હરાવવું કોઈપણ ટીમ માટે સરળ કાર્ય નથી.
બંને ટીમોની પ્લેઈંગ-11
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા, યશ દયાલ.
પંજાબ કિંગ્સ: પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, માર્કો જેન્સન, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, વિજયકુમાર વિષાક.
આ પણ વાંચો..
- vaibhav suryavanshi: વસીમ અકરમે PSL સામે અરીસો ધર્યો: વૈભવનું ઉદાહરણ આપીને પૂછ્યું – ૧૦ વર્ષમાં સૂર્યવંશી જેવા કેટલા બેટ્સમેન તૈયાર થયા?
- xi jinping: પીએમ મોદીને મળવા શી જિનપિંગ નવી દિલ્હી પહોંચ્યા; સાત વર્ષ પછીની આ મુલાકાત શા માટે મહત્વપૂર્ણ છે?
- ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડો અને મનરેગા યોજના હેઠળ રોજગારીના દિવસોમાં વધારો કરો : Isudan Gadhvi
- વંદે માતરમના અપમાન મામલે કોંગ્રેસના ધારાસભ્ય Imran Khedawalaની મુશ્કેલીઓ વધી; સ્પીકરે વિશેષાધિકાર સમિતિને આપ્યો તપાસનો આદેશ
- Ahmedabadના લાંભામાં ખાદ્ય તેલના રિપેકિંગ યુનિટ પર AMCની કાર્યવાહી, 3.93 લાખ રૂપિયાથી વધુનું તેલ જપ્ત




