Gujarat : નડિયાદ કોંગ્રેસના પ્રમુખ દ્વારા આજે રેલ મેલ સર્વિસ (RMS) અંગે કેન્દ્રીય સંચાર મંત્રીને રજૂઆત કરી છે. તેમને વીડિયો રજૂ કરી જણાવ્યુ કે, આઝાદી સમયથી નડિયાદમાં રેલ મેલ સર્વિસ ચાલતી હતી અને તેનો નગરવાસીઓ ખાસ કરીને વેપારીઓ લાભ લેતા હતા, તેવા સમયે પુનઃ RMS બંધ કરી દેવાતા તેને પાછી ચાલુ કરવાની માંગણી કરાઈ છે.

નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ દ્વારા કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિન્દ્રાદિત્ય સિંધિયાને પત્ર લખ્યો છે, જેમાં જણાવ્યુ છે કે, ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ શહેર સહિત આજુબાજુના ગામડાઓ અને સમગ્ર જિલ્લામાં સંદેશા વ્યવહાર માટે આઝાદીકાળમાં RMS પોસ્ટ ઓફિસ અસ્તિત્વ આવી હતી. જે લોકોને ખૂબ જ ઉપયોગી પૂરવાર થયેલ છે.
આમ છતાં પોસ્ટલ ડીપાર્ટમેન્ટે જિલ્લાની નબળી નેતાગીરીનો ગેરલાભ ઉઠાવી, અગમ્ય કારણોસર નડિયાદ રેલવે સ્ટેશન ઉપર આઝાદીકાળથી ચાલતી RMS પોસ્ટ ઓફિસ બંધ કરવાનો અને આણંદ રેલવે સ્ટેશન ઉપર ચાલતી RMS પોસ્ટ ઓફિસમાં મર્જ કરવાનો તુઘલખી નિર્ણય કર્યો છે. જે ખેડા જિલ્લાની પ્રજાને હળહળતા અન્યાય સમાન ગણાવ્યો છે.

આ નિર્ણયના કારણે ખેડા જિલ્લામાં ટપાલ સેવાને વિપરીત અસર પડેલ છે. તેની ગંભીરતાપૂર્વક નોંધ લેવા અને નડિયાદ RMS પોસ્ટ ઓફિસ બંધ કરી આણંદ RMS પોસ્ટ ઓફિસમાં મર્જ કરવાના તુઘલખી નિર્ણયની સમીક્ષા કરવા અને નડિયાદ RMS પોસ્ટ ઓફિસ પુનઃ ચાલુ કરવા માંગણી કરાઈ છે.
આ પણ વાંચો..
- અમૃતસરમાં SSOCને મોટી સફળતા, આતંકવાદી નેટવર્ક સાથે જોડાયેલા શંકાસ્પદની ધરપકડ
- Jayant Narlikarને વિજ્ઞાન રત્ન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા; આઠ વિજ્ઞાન શ્રી અને ૧૪ વિજ્ઞાન યુવા પુરસ્કારોની પણ જાહેરાત કરવામાં આવી
- ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરો સાથે થયેલી છેડતી અંગે BCCI એ નિવેદન જારી કર્યું, સુરક્ષા પ્રોટોકોલ વિશે આ કહ્યું
- Ireland: ડાબેરી પક્ષના સ્વતંત્ર ઉમેદવાર કેથરિન કોનોલી આયર્લેન્ડના નવા રાષ્ટ્રપતિ બનશે, હરીફ હીથરે હાર સ્વીકારી
- SIR: આગામી સપ્તાહથી દેશભરમાં મતદાર યાદીઓનું ખાસ સંશોધન શરૂ થશે; જાણો કયા રાજ્યોનો પ્રથમ તબક્કામાં સમાવેશ





