Gujarat : દાદરા નગર હવેલીના દપાડા ગામેથી કરચોન ગામે લગ્નપ્રસંગ માટે જાન લઈને નીકળેલી પ્રાઇવેટ બસને અકસ્માત નડ્યો છે. બસ પલટી જતા 20 ઘાયલ થયા તો એક મહિલાનું મૃત્યુ થયુ છે.

બસ નંબર ડી.ડી. 01 એલ. 9551 જે લગ્ન પ્રસંગ પતાવીને પરત દપાડા તરફ જઈ રહી હતી. તે સમયે દૂધની ઉપલાબેડા ટર્નિંગ પર સ્ટેરીંગ પર કાબૂ ન રહેતા બસ પલ્ટી મારી ગઈ હતી. જેમા 20થી વધુ લોકો ઘાયલ થયા હતા અને એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
આ અકસ્માતની ઘટના જોતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને સાથે પોલીસ તેમજ એમ્બ્યુલન્સને પણ ફોન કરતા પોલીસ અને મેડિકલ ટીમ પહોંચી ગઈ હતી અને ઘાયલોને સારવાર અર્થે સબજીલ્લા હોસ્પિટલ ખાનવેલ લઈ જવામાં આવ્યા હતા.

ગંભીર રીતે ઘાયલ 10 લોકોને વધુ સારવાર અર્થે વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળેલ માહિતી અનુસાર અકસ્માત બાદ બસ ચાલક ફરાર થઈ ગયો હતો
આ પણ વાંચો…
- raymond: રેમન્ડના ભૂતપૂર્વ ચેરમેન વિજયપત સિંઘાનિયાનું નિધન; કાલે મુંબઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે
- RCB એ 16 ઓવરમાં 200+ ના લક્ષ્યનો પીછો કર્યો; સીઝનની શરૂઆતમાં કોહલી, પડિકલ અને કિશનની અડધી સદીઓ
- pm modi: “આ મુદ્દા પર અમે સંમત થયા”: સાઉદી પ્રિન્સ સાથેની વાતચીત બાદ X પર પીએમ મોદીની પોસ્ટ
- Imran khan: ઇમરાન ખાનના પુત્રના યુએન ભાષણથી પાકિસ્તાન ગુસ્સે ભરાયું, તેને ‘પૂર્વયોજિત કાવતરું’ ગણાવ્યું
- iran: હોર્મુઝ પર યુદ્ધની ગણતરી! શું ઈરાન આખા આરબ વિશ્વને આગ લગાડશે? મોજતાબાની ચેતવણીથી દુનિયા ધ્રૂજી ઉઠી





