Bhavnagar જિલ્લાના રાજગઢ ગામ નજીક લીંબડી પેટા કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડવાથી હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે, જેનાથી ઉનાળુ પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતો દ્વારા તંત્રના જવાબદાર અધિકારીઓને જાણ કરવામાં આવી હોવા છતાં, હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ભાલ પંથકના ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Bhavnagarમાં ઉનાળા ટાણે આ પરીસ્થિતિ સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ ઉપરાંત તંત્રની બેજવાબદારીના કારણે હજારો લિટર પાણી વ્યતિત થતુ હોવાથી જવાબદાર અધિકારીઓની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉઠ્યા છે. આ મામલે ત્વરીત યોગ્ય કાર્યવાહી કરાય તેવી માંગણી ઉઠી છે.
આ અગાઉ પણ Bhavnagar જિલ્લામાં કેનાલોમાં ગાબડાં પડવાના બનાવો બન્યા છે. જેમ કે, વલભીપુરથી મીઠાપુર જતી કેનાલમાં ગાબડું પડ્યું હતું, જે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે જોડાયું હતું. આવા બનાવો ખેડૂતો માટે આર્થિક નુકસાન અને પાણીના સંગ્રહમાં અવરોધ ઉભા કરે છે.

તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને કેનાલોની મરામત અને જાળવણી કરવી જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવા બનાવો ન બને અને ખેડૂતોને નુકસાનથી બચાવી શકાય તે જરૂરી બન્યુ છે.
આ પણ વાંચો..
- iran: ઈરાને ફરીથી હોર્મુઝ બંધ કર્યું; જો અમેરિકાનો નાકાબંધી ચાલુ રહેશે તો કાર્યવાહીની ધમકી આપી
- Ahmedabadમાં બાઇક ચોરી કરતી ગેંગનો પર્દાફાશ; 23 બાઇક જપ્ત, 19 કેસ ઉકેલાયા
- Ahmedabad કોર્ટે ફિલિપિનો મહિલાને 20 વર્ષની જેલની સજા ફટકારી, ડ્રગ્સની હેરાફેરીનો હતો આરોપ
- Valsad: ડ્રાય સ્ટેટમાં દારૂની દાણચોરી, 55 લાખ રૂપિયાની કિંમતની 18,000થી વધુ બોટલો જપ્ત
- Ahmedabad: ક્રાઈમ બ્રાન્ચના PSI પર છરીથી હુમલો, MD ડ્રગ ડીલર પર દરોડા દરમિયાન ઘટના બની




