Damanમાં દુનેઠા ડમ્પિંગ સાઇટ પર ફરી આગ લાગવાની ઘટના એ ખૂબ જ ગંભીર અને ચિંતાજનક બની છે. ખાસ કરીને, જે પ્રકારના ઘટનાઓ વારંવાર બની રહી છે, તે સ્થાનિકો માટે અનેક પ્રકારના ખતરો ઊભા કરે છે.
Damanમાં ડમ્પીંગ સાઈટની આગની સામાન્ય આડઅસરો માત્ર પ્રદૂષણ અને દૂષણ માટેની સમસ્યાને જ વધારતી નથી, પરંતુ લોકોના સ્વાસ્થ્ય માટે પણ મોટી ચિંતાનું વિષય બની રહી છે. ધુમાડો અને દુર્ગંધના કારણે શ્વાસની સમસ્યાઓ અને અન્ય આરોગ્ય સંબંધિત અસરો વધારે છે, જે ચિંતાની બાબત છે.

કચરાના ઢગમાં આગ લાગવાને કારણે વાતાવરણમાં સતત પ્રદૂષણનું પ્રમાણ વધતા જાય છે. આથી, તે સ્થાનિક લોકોના રોજિંદા જીવનને ગંભીર અસર પહોંચાડી રહ્યું છે.
સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે, આ આગ કોઈને જાણીબૂઝીને ઈરાદાપૂર્વક લગાવાઈ રહી છે? કે પછી આ ડમ્પિંગ સાઈટની સંભાળ રાખતી એજન્સી જાતે જ આગ લગાડી રહી છે, તે પણ તપાસનો વિષય છે.

આ મામલે સ્થાનિકોએ તાત્કાલિક તપાસની માંગ કરી છે અને કડક પગલાં લેવા માટે માંગણી કરાઈ છેય આ માટે જવાબદાર તંત્રને કાર્યરત રહેવું ખૂબ જ જરૂરી છે, જેથી આ પ્રકારના આકસ્મિક બનાવો અટકાવી શકાય.
આ પણ વાંચો..
- મિસ થઇ ગઈ ડેડલાઈન ! દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે ક્યારે પૂર્ણ થશે? Nitin Gadkariએ જણાવ્યું કે તેમાં કેટલો સમય લાગશે.
- કોણ છે સારા રિઝવી? Gujaratની પ્રથમ મુસ્લિમ મહિલા IPS અધિકારી જે જમ્મુ અને કાશ્મીરમાં આપશે સેવા
- Ahmedabadમાં SUV એ સ્કૂટરને મારી ટક્કર; લોકો લગાવતા રહ્યા અંદાજો, પોલીસે વાયરલ વીડિયો પાછળનું સત્ય કર્યું જાહેર
- નવસારીમાં રોડ રસ્તા સારા નથી, ગટર અને પાણીની વ્યવસ્થા યોગ્ય નથી, મોંઘવારી ચરમસીમાએ છે: Isudan Gadhvi AAP
- Horoscope: બધી 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ, જાણો આજનું રાશિફળ





