Jamnagar પોલીસે શહેરમાં ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે 285 જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે અને તેમની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. આજે જિલ્લા પોલીસ વડાએ અસામાજીક તત્વોને ચેતવણી આપવા ઉપરાંત સૂચનાઓ આપી હતી. અને ટપોરીગીરી કરતા લોકો સામે કાર્યવાહી કરવાની ચિમકી ઉચ્ચારી હતી.
Jamnagar પોલીસે આ સર્વેક્ષણ દ્વારા અસામાજિક તત્વોની ગુનાહિત પ્રવૃત્તિઓ, તેમના રહેઠાણ અને તેમની સાથે સંકળાયેલા લોકો વિશે માહિતી એકત્રિત કરી છે. આ માહિતીનો ઉપયોગ ગુનાખોરીને રોકવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કરવામાં આવશે.
Jamnagar પોલીસ દ્વારા લેવામાં આવેલ આ પગલું શહેરના નાગરિકોની સુરક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આનાથી ગુનાખોરીમાં ઘટાડો થશે અને લોકોમાં સુરક્ષાની ભાવના વધશે. આ માટે જામનગર પોલીસે 285 ઈસમોનો સર્વે કર્યો છે. તો સાથે જ છેલ્લા 24 કલાકમાં 46 આરોપીને ઝડપી પાડ્યા છે અને તમામની અટકાયત કરી લોકલ ક્રાઈમ બ્રાંચમાં હાજર કરાયા છે.
ઉલ્લેખીય છે કે, ગુજરાતના અમદાવાદમાં વસ્ત્રાલ ખાતે અસામાજીક તત્વોએ આખો રોડ બાનમાં લઈ જાહેરમાં તલવારો અને મારક હથિયારોથી લોકોને માર્યા હતા અને આતંક મચાવ્યો હતો. જે બાદ કાયદો અને વ્યવસ્થા કથળી હોવાની ચર્ચાઓ ઉઠી અને આ કલંક માથે ન લાગે તે માટે રાજ્ય પોલીસ વડાએ ગુજરાતના તમામ પોલીસ મથકમાં રહેતા અસામાજીક તત્વોની યાદી મંગાવી હતી.
આ પણ વાંચો..
- Fever: શું તાવ આવે ત્યારે સ્નાન કરવું યોગ્ય છે? નિષ્ણાતો શું કરવું અને શું ન કરવું તે અંગે વિચારણા કરે છે
- NIA: આતંકવાદી ષડયંત્રના આરોપસર એક અમેરિકન સહિત સાત વિદેશી નાગરિકો સામે ચાર્જશીટ દાખલ; UAPA આરોપો પડતા મૂકવામાં આવ્યા
- UK: એર ટ્રાફિક કંટ્રોલમાં ટેકનિકલ ખામી; લગભગ 300 ફ્લાઇટ્સ રદ; હીથ્રો અને ગેટવિક સહિત અનેક એરપોર્ટ્સ પ્રભાવિત થયા.
- rajpal yadav: રાજપાલ યાદવની અરજી પર સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરી, આ શરત મૂકી
- PCB: શું પીસીબીએ કેપ્ટન સાથે સલાહ લીધા વિના નિર્ણય લીધો? ખેલાડીઓની બાદબાકી અંગે બાબરનું આશ્ચર્યજનક નિવેદન; તે આ પગલાથી દૂર છે




