ગુજરાતના Ahmedabad જિલ્લાના કુબેરનગરમાં મંદિરના પૂજારીએ મંદિર પરિસરમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. મૃતક પુજારી મહેન્દ્ર માઈનકરના પુત્ર બ્રિજેશે દાવો કર્યો હતો કે મંદિરને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

બ્રજેશે એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, “મારા પિતાને કોર્પોરેશન, બિલ્ડરો અને કેટલાક પોલીસ અધિકારીઓ દ્વારા માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવતા હતા. કારણ કે તેઓ મંદિરને તોડી પાડવા માંગતા હતા. જે મારા દાદાએ 1972માં બનાવ્યું હતું. આ મંદિરને કારણે સંતોષીનગર વિસ્તાર વસ્યો છે.”

અહેવાલ મુજબ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશને મંદિર તોડી પાડવાના દાવાને નકારી કાઢ્યા છે. જી-ડિવિઝનના અધિક પોલીસ કમિશનર વી.એન. યાદવે કહ્યું કે નાગરિક સંસ્થાની વિનંતી પર પોલીસ તૈનાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે પૂજારીના પુત્રના આરોપોની તપાસ કરવામાં આવશે. અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે.

કથિત સુસાઈડ નોટમાં મહેન્દ્રએ પોતાના પુત્રને મંદિર બચાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે આ જમીન તેમની જન્મભૂમિ છે અને તેમના પરિવાર અને સમુદાય માટે પવિત્ર સ્થળ છે.

કોર્પોરેશને એક નિવેદન જારી કરીને કહ્યું કે સંતોષીનગર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નોર્થ ઝોન વિસ્તારના નરોડા વોર્ડમાં AMCના પ્લોટ પર આવેલું છે. સંતોષીનગરમાં લગભગ 475 રહેણાંક ઝૂંપડપટ્ટી અને 22 કોમર્શિયલ દુકાનો છે. કોર્પોરેશને જણાવ્યું હતું કે તાજેતરમાં ઉક્ત કામના ડેવલપરને સંતોષીમાતા મંદિર તરીકે ઓળખાતા હાલના પ્રાચીન મંદિરના 1,251 ચોરસ મીટર વિસ્તારને કાપીને પુનઃવિકાસની યોજના બનાવવા માટે જાણ કરવામાં આવી હતી.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “લોકોની ધાર્મિક લાગણીઓને કારણે, મંદિરને તે જ સ્થાન પર અખંડ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો.”