યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા અને કોમેડીયન સમય રૈના સહિતના લોકો વિવાદમાં સપડાયા છે. ઈન્ડિયાસ ગોટ લેટેન્ટ નામના સમય રૈનાના શૉમાં એક વિવાદીત ટીપ્પણી કર્યા બાદ રણવીર અલ્હાબાદિયા સામે ત્રણ શહેરોમાં કેસ થયો હતો. આ વિવાદમાં અગાઉ સુપ્રિમ કોર્ટે તમામ કલાકારોની ઝાટકણી કાઢી હતી. જો કે, આ મામલે રણવીરની દલિલો બાદ સુપ્રિમ કોર્ટે માર્મિક ટકોર કરી અને રણવીરનો તેનો પોતાનો શૉ ચાલુ કરવા વચગાળાની રાહત આપી છે.
સમય રૈના દ્વારા ઈન્ડિયાસ ગોટ લેટેન્ટ નામનો એક હાસ્ય શૉ યુટ્યુબ પર ચલાવવામાં આવી રહ્યો હતો. આ શૉમાં અગાઉ અનેક કલાકારો દ્વારા વિવાદીત ટીપ્પણી કરાઈ હતી. હાસ્યના ઓથા હેઠળ ન્યુડીટીને કેન્દ્રમાં રાખી ટી.આર.પી. લઈ રહેલા સમય રૈનાના શૉમાં રણવીર અલ્હાબાદિયાએ માતા-પિતાના સંભોગ સબંધે એક બિભત્સ કોમેન્ટ કરી. આ સિવાય શૉમાં ભાગ લેવા પહોંચેલા કન્ટેન્ટન્સ સાથે પણ ખૂબ બિભત્સ ભાષામાં વાત કરી હતી.

આ મુદ્દો છંછેડાયો અને તેમાં ત્રણેક શહેરોમાં રણવીર અલ્હાબાદિયા અને ઈન્ડિયાસ ગોટ લેટેન્ટના અન્ય કલાકારો સામે ગુના નોંધાયા. તે બાદ મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો અને સુપ્રિમ કોર્ટે અગાઉની સુનાવણીમાં રણવીર અલ્હાબાદિયા સહિતના અન્ય કલાકારોને કડક ભાષામાં શાનમાં રહેવા આદેશ કર્યો હતો અને તમામ શૉ બંધ કરાવ્યા હતા. વિવાદ થતા સમય રૈનાએ પોતાની યુટ્યુબ ચેનલ પરથી ઈન્ડિયાસ ગોટ લેટેન્ટના તમામ એપીસોડ દૂર કરી નાખ્યા હતા. જો કે, આજે ફરી સુનાવણીમાં રણવીરની દલિલો બાદ કોર્ટે માર્મિક ટકોર કરી વચગાળાની રાહત આપી તેના પોતાનો શૉ ટોક વિથ રણવીર ચાલુ કરવવા માટે મંજૂરી આપી છે.
શું કહ્યું સુપ્રિમ કોર્ટે?
- સુપ્રીમ કોર્ટે રણવીર અલ્હાબાદિયાને તેમના પોડકાસ્ટ ‘ધ રણવીર શો’ ચાલુ રાખવાની મંજૂરી આપી છે, પરંતુ કેટલીક શરતો પણ મૂકી છે.
- રણવીર પોતાના શોમાં કોઈપણ પ્રકારની અશ્લીલતા કે અભદ્રતા નહી બતાવે.
- અભિવ્યક્તિની સ્વતંત્રતાની પણ મર્યાદા હોય છે.
- તમારા મગજમાં ગંદકી ભરેલી છે.
- તમે પ્રખ્યાત થઈ ગયા છો, તો શું તમને કંઈપણ બોલવાનું લાઇસન્સ છે?
- કોર્ટે રણવીરને કહ્યું કે, “તમે લોકોના માતાપિતાની બેઇજ્જતી કરી રહ્યા છો.
- આ વિકૃત માનસિકતા છે. તમે અને તમારા સાથીદારોએ વિકૃતિ પ્રદર્શિત કરી છે
- તમે આ પ્રકારના નિવેદન કરી સસ્તી લોકપ્રિયતા હાંસલ કરી શકો તો અન્ય કોઇપણ આવું કરી લોકપ્રિયતા મેળવવાનો પ્રયાસ કરી શકે છે.”
- સભ્યતા અને નૈતિકતા જાળવો.
- સુપ્રીમ કોર્ટે રણવીર અલ્હાબાદિયાના પાસપોર્ટને પોલીસમાં જમા કરાવવાનો આદેશ આપ્યો હતો.
- સુપ્રીમ કોર્ટે રણવીર અલ્હાબાદિયા સામે મુંબઈ, આસામ અને જયપુરમાં નોંધાયેલી FIR માં વચગાળાની રાહત આપી અને તેની ધરપકડ ન કરવા જણાવ્યું હતું.
આ પણ વાંચો..
- GPSC દ્વારા રવિવારે વર્ગ-1 અને 2ની પરીક્ષા યોજાશે, 97 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
- Gujarat : 46 લાખના સિગ્નલ જાળવવામાં મહાનગરપાલિકા પાંગળી, કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ દ્વારા રજૂઆત
- કચ્છ જિલ્લાના પૂર્વ કલેક્ટર અને IAS અધિકારી Pradeep Sharma ને 5 વર્ષની જેલની સજા, 10,000 રૂપિયાનો દંડ
- Ahmedabad ઓલિમ્પિક્સ 2036 હોસ્ટ કરવા ભારત રેસમાં: 140 એકર જમીન ધરાવતા 3 આશ્રમોને ખાલી કરાવવાની નોટિસ
- બ્રાહ્મણ વિવાદ દક્ષિણ સુધી પહોંચી ગયો? Kamal Haasan એ પોતાના બે લગ્નનું જણાવ્યું કારણ