રમઝાન દરમિયાન વડોદરા મહાનગરપાલિકા શાસિત શાળાઓના સમયમાં ફેરફાર કરાતા વિવાદ ઉઠ્યો છે. વડોદરામાં રમઝાન દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) શાસિત શાળાઓના સમયપત્રકમાં ફેરફારને લઈને વિવાદ થયો છે.

ભાજપ શાસિત મહાનગરપાલિકા સંચાલિત સ્કુલ બોર્ડ દ્વારા લઘુમતી વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોય તેવી શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. આ અંગેની જાણ વિશ્વ હિંદુ પરિષદને થતા વિરોધ નોંધાવ્યો છે અને ઠેર-ઠેર દેખાવો શરૂ કર્યા છે. રાજ્ય સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
વિશ્વ હિંદુ પરિષદ (VHP)ના ક્ષેત્રિય મંત્રીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દેશભરમાં સમાન નાગરિક ધારો (Uniform Civil Code) લાગુ કરવા માટે એકમત ઊભો કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકા હેઠળ ભાજપ શાસિત મનપાની શાળાઓમાં રમઝાન માસને ધ્યાનમાં રાખી, સમયપત્રકમાં ફેરફાર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આમાં તૃષ્ટિકરણ નીતિ અપનાવવાનો આરોપ પણ ઉઠાવ્યો છે.

આ બાબતે રાજ્યના શિક્ષણમંત્રીએ જણાવ્યુ છે કે, વડોદરામાં શાળાના સમયમાં ફેરફાર કરવાની વિગતો ધ્યાને આવી છે. આ બાબતે તપાસના આદેશ અપાયા છે. ત્યાંના શિક્ષણાધિકારી સાથે વાત કરી છે અને સમગ્ર બાબતે રીપોર્ટ મંગાવ્યો છે.
આ પણ વાંચો
- T20: જેક્સ અને રેહાન ઇંગ્લેન્ડને જીત તરફ દોરી ગયા, ન્યુઝીલેન્ડને ફટકો પડ્યો, શું પાકિસ્તાન હવે સેમિફાઇનલમાં રમશે?
- shashi tharoor: હાઈકમાન્ડ સાથે સમાધાન પછી વલણમાં ફેરફાર કેમ?: કેરળ વિરુદ્ધ કેરળમ વિવાદ ચાલુ, બ્રિટાસે થરૂર પર વળતો પ્રહાર કર્યો
- IPLની 19મી આવૃત્તિનો ઉત્સાહ ક્યારે શરૂ થશે? ફાઇનલની તારીખ અંગે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે.
- HPV રસી વિશેની 5 મુખ્ય માન્યતાઓ અને તે શા માટે જરૂરી છે તેનું ડોક્ટરોએ ખંડન કર્યું.
- Ekta Kapoor: શું ‘બિગ બોસ 19’ ફેમ તાન્યા મિત્તલને એકતા કપૂર પાસેથી OTT પ્રોજેક્ટ મળ્યો છે? તેણીએ લગ્ન વિશે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.




