Ahmedabad મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 3 જાન્યુઆરીથી સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત ફ્લાવર શોની મુલાકાત લેનારા લોકોની સંખ્યાએ રેકોર્ડ તોડ્યો છે. ઉત્તરાયણના દિવસે શો જોનારા લોકોની સંખ્યા 1.32 લાખથી વધુ હતી. 2013 થી દર વર્ષે આયોજિત આ શોમાં એક જ દિવસમાં આ સૌથી વધુ સંખ્યા છે.

મહાપાલિકાના જણાવ્યા અનુસાર છેલ્લા 12 દિવસમાં 8 લાખ 10 હજાર 982 લોકો ફ્લાવર શો જોવા માટે આવ્યા છે. જેમાંથી 1 લાખ 32હજાર 456 લોકો ઉત્તરાયણના દિવસે આવી ગયા છે. અગાઉ 13 જાન્યુઆરીએ ફ્લાવર શોની લગભગ 85 હજાર, 12 જાન્યુઆરીએ 93 હજાર અને 11 જાન્યુઆરીએ 65 હજારથી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. 12 દિવસમાં આઠ લાખથી વધુ લોકોની મુલાકાતના કારણે મહાનગરપાલિકાને રૂ.5.93 કરોડથી વધુની આવક થઈ છે. ફ્લાવર શો પ્રત્યે લોકોની વધતી જતી રુચિને ધ્યાનમાં રાખીને આ શોને 24મી જાન્યુઆરી સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલા આ શો 22 જાન્યુઆરી સુધી જ શેડ્યૂલ કરવામાં આવ્યો હતો. જો કે બે દિવસના લંબાયેલા સમયમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે.