શિયાળામાં ઠંડીને કારણે આપણા શરીરને વધારાની કાળજીની જરૂર હોય છે.
આવી સ્થિતિમાં પલાળેલી કિસમિસ ખાવી એ સ્વાસ્થ્ય સુધારવાનો સરળ અને અસરકારક ઉપાય છે.
કિસમિસમાં નેચરલ સુગર, એન્ટીઓક્સીડેન્ટ અને અન્ય જરૂરી પોષક તત્વો હોય છે
તેને આખી રાત પાણીમાં પલાળીને ખાવાથી તેના પોષક તત્વો વધુ એક્ટિવ બને છે
કિસમિસ એક સુપરફૂડ છે, જે ફાઈબર, વિટામિન્સ (C અને B6), આયર્ન, પોટેશિયમ અને કેલ્શિયમ જેવા ઘણા પોષક તત્વોથી ભરપૂર છે.
કિસમિસ ખાવાથી શિયાળામાં રોગપ્રતિકારક શક્તિની ક્ષમતામાં વધારો કરે છે
ફાયબર પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત આપે છે.