Vadodara:,ડિપ્રેશનમાં રહેતા ૩૪ વર્ષના ટ્રાન્સપોર્ટરે પત્નીને લાઈવ લોકેશન મોકલી મહીસાગર નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. જ્યારે અન્ય એક બનાવમાં ૩૦ વર્ષના શ્રમજીવીએ અગ્મય કારણોસર આપઘાત કર્યો હતો. ૩૦ વર્ષના શ્રમજીવી યુવકનો ફાંસો ખાઈને આપઘાત મૂળ રાજકોટનો ૩૪ વર્ષનો યુવક પરિવાર સાથે વડોદરામાં રહેતો હતો. વડોદરામાં તે ભાગીદારીમાં ટ્રાન્સપોર્ટનો ધંધો કરતો હતો. છેલ્લા કેટલાક સમયથી તેની માનસિક બીમારીની દવા ચાલતી હતી. ગત તા. ૨૪ મી એ તે ઘરેથી બાઈક લઈને નીકળ્યો હતો. શહેર નજીકના ફાજલપુર રામગઢ રિફાઇનરી રોડ ગરનાળા પાસે મહિસાગર નદી પાસે પહોંચીને તેણે પત્નીને લોકેશન મોકલી મેસેજ કર્યો હતો કે, હું જઉં છું. જેથી, પત્નીએ પતિના મિત્રોને જાણ કરતા તેઓ લોકેશનવાળા સ્થળ પર પહોંચી ગયા હતા.

Vadodara: ત્યાંથી ટ્રાન્સપોર્ટરની બાઇક અને મોબાઇલ ફોન મળી આવ્યા હતા. પરંતુ, તેનો કોઈ પત્તો નહતો. જે અંગે નંદેસરી પોલીસને જાણ કરતા હે.કો. શૈલેષભાઇએ સ્થળ પર જઈને તપાસ હાથ ધરી હતી. પરંતુ, ટ્રાન્સપોર્ટરનો કોઈ પત્તો મળ્યો નહતો. બીજે દિવસે નજીકથી ટ્રાન્સપોર્ટરનો મૃતદેહ મળી આવતા પી.એમ.માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

છાણી રોડ ભાથુજીનગરમાં રહેતા ૩૦ વર્ષના શ્રમજીવી અંબુભાઈ શનાભાઈએ આજે બપોરે ૧૨ વાગ્યા પહેલા પોતાના ઘરે ખાટલાની પ્લાસ્ટિકની પાટીનો ગાળિયો બનાવી ફાંસો ખાઈ લીધો હતો. આપઘાતનું કારણ જાણવા માટે છાણી પોલીસ સ્ટેશનના હે.કો. ભાવેશ દેવજીભાઈએ વધુ તપાસ હાથ ધરી છે.