Sonamarg: જમ્મુ-કાશ્મીરમાં નવી સરકાર બન્યા બાદ આતંકીઓએ ફરી એકવાર બિન-કાશ્મીરી મજૂરોને નિશાન બનાવ્યા છે. હુમલામાં ત્રણ પરપ્રાંતિય મજૂરોના મોત થયા હોવાના અહેવાલ છે.

જમ્મુ-કાશ્મીરના સોનમર્ગ વિસ્તારમાં મોટા આતંકી હુમલાના સમાચાર છે. ઝોજિલા ટનલમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરો પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો, જેમાં 3 મજૂરોના મોત થયા. ફાયરિંગના સમાચાર મળતાની સાથે જ સેના અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આતંકીઓને શોધી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનમર્ગના ગગનગીર વિસ્તારમાં બનાવવામાં આવી રહેલી ઝોજિલા ટનલમાં આજે કામદારો કામ કરી રહ્યા હતા. ત્યારબાદ સાંજે આતંકવાદીઓએ મજૂરોને ઘેરી લીધા અને ગોળીબાર શરૂ કરી દીધો. આ હુમલામાં ત્યાં કામ કરતા ઘણા બિન-કાશ્મીરી મજૂરો ઘાયલ થયા હતા. હુમલા બાદ આતંકીઓ ત્યાંથી ભાગી ગયા હતા. માહિતી મળતાં જ સેના અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. ઘાયલ મજૂરોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં 3 મજૂરોના મોત થયા હતા.