RSS: મહારાષ્ટ્રના નાગપુરમાં ડો.કેશવરાવ બલિરામ હેડગેવાર દ્વારા ઈ.સ.૧૯૨૫માં વિજયાદશમીના દિવસે હિન્દુઓને એક તાંતણે જોડવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ જેનો આવતીકાલ વિજયાદશમી-૨૦૨૪ના દિવસે ૯૯ વર્ષ પૂરા કરીને ૧૦૦માં વર્ષમાં પ્રવેશ થઈ રહી છે. આ શતાબ્દીવર્ષ ઉજવવા અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આવતીકાલે સંઘના વર્તમાન સર કાર્યવાહ દત્તાત્રેય હોસબોલે તા.૧૫ સુધી સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે.

RSS: દત્તાત્રેયજી જામનગર આવતીકાલે તા.૧૨ના જામનગરમાં યોજાનાર વિજ્યાદશમી ઉત્સવમાં સર કાર્યવાહ હાજરી આપશે અને વક્તવ્ય આપશે જેના પગલે સમાજમાં ઉત્સાહનો સંચાર થયો છે. તેઓ જામનગરમાં વિદ્યાર્થી અને વ્યવસાયી શાખાની મુલાકાત લેશે તેમ મુકેશ મલકાણે જણાવ્યું હતું. સેંથદ્વારાશતાબ્દી વર્ષને અનુલક્ષીને ગ્રામ્ય અને શહેરી વિસ્તારની દરેક વસ્તી સુધી

દશેરા ઉત્સવમાં હાજર રહેશે વિસ્તાર કરવા, કાર્યને વધુ અસરકારક અને દ્રઢ કરવા તેમજ સમાજમાં પાંચ પરિવર્તનમાં ગ્લોબલ માર્કેટીંગ, પાશ્ચાત્ય અનુકરણથી બહાર આવીને શક્તિશાળી હિન્દુ પરિવારોનું નિર્માણ અને ભારતીય કુટુંબ વ્યવસ્થાને મજબૂત બનાવવાપરિવાર ભોજન, ડીજીટલ ઉપવાસ, હનુમાનચાલીસાનું સમુહ પઠન વગેરે કાર્યક્રમો થશે. ઉપરાંત પર્યોવરણ સુધારવા સહિતના કાર્યક્રમો થશે.