જામનગર શહેરમાં જલાની જારના ચોકની Garbi પ્રાચીન ગરબી છે, જ્યાં આજ સુધી આધુનિક્તાનો સ્પર્શ થયો નથી. આ ગરબીમાં લાઉડ સ્પીકર નહીં, સંગીતના કોઈ વાજીંત્રો નહીં, માત્ર ને માત્ર નોબત ના તાલે પુરુષો દ્વારા ગરબા લેવાય છે. પુરુષો લાલ- પીળા-કેશરી, અબોટિયા પહેરીને અહીં માતાજીના ગુણગાન ગાય છે.

Garbiમાં માત્ર પુરૂષો લાલ, પીળા, કેશરી અબોટીયાં પહેરીને માતાજીના ગાય છે ગુણગાન

જલાની જારના ચોકની આ ગરબીમાં ૩૨૧ વર્ષથી પરંપરાગ રીતે એકપણ ક્ષણના વિરામ વગર સતત સાડાત્રણ કલાક સુધી સ્વકંઠે ઈશ્વર વિવાહ ગવાય છે. અને એક અલગ જ સ્ટાઈલના સ્ટેપ્સ સાથે રમવામાં આવે છે. આ વર્ષે તા. ૯ના રાત્રે ૧૨-૩૦ વાગ્યાથી કવિ દેવીદાસ રચિત ઈશ્વર વિવાહનો કાર્યક્રમ યોજાશે. આ ઈશ્વર વિવાહની એક અલગ ખૂબી છે કે તેની એક-એક પંક્તિ ચાર-ચાર વખત ગાવામાં આવે છે. દર વર્ષે અહીંના ઈશ્વર વિવાહને સાંભળવા-નિહાળવા ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિકો, નગરજનો ઉંમટી પડે છે.