Savarkundlaમાં ચોરીનો ચકચારી બનાવ સામે આવ્યો છે. અજાણ્યા ચોરોએ શ્રધ્ધા સોસાયટીમાં આવેલા એક મકાનમાં ઘૂસીને લાખો રૂપિયાની મત્તા ચોરી કરી છે. આ ઉપરાંત, ગીતાજંલી સોસાયટીમાં આવેલા એક મકાનમાં ચોરીનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. શ્રધ્ધા સોસાયટીમાં તસ્કરો દાગીના અને મોબાઈલ ફોન ઉસેડી ગયા, ગીતાંજલી સોસાયટીમાં કંઈ હાથ લાગ્યું નહીં

Savarkundla: મળતી માહિતી અનુસાર, તા. ૪, ઓક્ટોબરની રાત્રે કોઈ અજાણ્યા ચોરોએ શ્રધ્ધા સોસાયટીમાં રહેતા કિરીટભાઈ ખોડાજીભાઈ મકવાણાના ઘરનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કયી હતો. ચોરોએ ઘરમાં રાખેલા સોના-ચાંદીના દાગીના અને કલ્પેશભાઈ ચંન્દ્રકાંતભાઈ જાનીના મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૩,૧૪,૫૩૮/-ની મત્તા ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

આ ઉપરાંત, ચોરોએ ગીતાજંલી સોસાયટીમાં રહેતા પ્રતિકભાઈ સુરેશભાઈ પંડયાના મકાનમાં ચોરીનો પ્રયાસ પણ કયી હતો. જોકે, તેઓ સફળ થયા નહીં અને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી