Colombia: કોલંબિયામાં એક મોટો હવાઈ અકસ્માત થયો જ્યાં માનવતાવાદી મિશન પર જઈ રહેલું એક લશ્કરી વિમાન ક્રેશ થયું. આ પછી, પ્લેનનો કાટમાળ એક ખેતરમાં પડ્યો જ્યાં તે સળગતું રહ્યું. હેલિકોપ્ટરમાં સવાર તમામ આઠ સૈનિકોના મોત થયા છે. કોલંબિયાના રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અકસ્માતની માહિતી આપી હતી.


માનવતાવાદી મિશન પર જઈ રહેલું કોલંબિયાનું લશ્કરી હેલિકોપ્ટર વેનેઝુએલાની સરહદ નજીક ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં કોલંબિયાના આઠ સૈનિકોના મોત થયા હતા. કોલંબિયાના રાષ્ટ્રપતિએ રવિવારે અકસ્માતની જાણકારી આપી હતી.
રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે આઠ સૈનિકો વિચાડાના પૂર્વ વિભાગમાં એક મિશન પર હતા. જોકે, અકસ્માત ક્યારે થયો તે અંગે તેમણે પોસ્ટમાં ઉલ્લેખ કર્યો નથી.


કોઈપણ મુસાફરો બચી શક્યા નથી
ન્યૂઝ એજન્સી એએફપીએ કોલંબિયન એરફોર્સને ટાંકીને કહ્યું કે, કુમારીબો નગરપાલિકાના ગ્રામીણ વિસ્તારમાં શોધખોળ બાદ હેલિકોપ્ટર મળી આવ્યું હતું. તેમાં સવાર એકપણ મુસાફરો બચી શક્યા નથી.

કોલંબિયાના મીડિયા દ્વારા શેર કરવામાં આવેલા ફોટામાં ઘાસના મેદાનની મધ્યમાં પ્લેનનો સળગી ગયેલો કાટમાળ દેખાય છે. એરફોર્સે જણાવ્યું હતું કે બચાવ અભિયાન દરમિયાન ક્રૂના પરિવારોને મદદ પૂરી પાડવામાં આવી રહી છે.