Bagasara: અહીં મેઘાણી જન્મ જયંતીના દિવસે મેઘાણી હાઈસ્કૂલમાં યોજાયેલા લોકડાયરા વખતે ધો.૧૧માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી વર્ષ ચાર વિક્ષેપ પાડતો હોવાના આક્ષેપ સાથે શાળાના આચાર્યે વિદ્યાર્થીને માર મારી દીવાલમં માથું ભટકાડયાના આક્ષેપ સાથે વિદ્યાર્થીના વાલીએ પોલીસમાં ફરિયાદ કરી છે. સામા પક્ષે આચાર્ય કહે છે કે વિદ્યાર્થીએ પોલીસ કેસ કરી નોકરીમાંથી | કઢાવી નાખ્યાની ધમકી આપી હતી.

Bagasara: લોકડાયરામાં વિદ્યાર્થી ગેરવર્તણુંક કરી આચાર્યને નોકરીમાંથી કઢાવી દેવા પોલીસ કેસની ધમકી આપ્યાનું પ્રિન્સિપાલનું કથન

Bagasara મેઘાણી હાઈસ્કૂલનો વિદ્યાર્થી શાળામાં યોજાયેલા લોકડાયરામાં ગેરવર્તણુંક. કરતો હોવાથી શાળાના આચાર્ય માર માર્યો હોવાની વિદ્યાર્થીના વાલી દ્વારા બગસરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવી છે. જો કે આ અંગે શાળાના આચાર્યએ આ ફરીયાદ ખોટી હોય શાળાને બદનામ કરવા માટે | કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. બગસરા મેઘાણી હાઈસ્કૂલમાં ધો.૧૧માં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, શાળાના આચાર્ય વિનોદ જેઠવાએ વિદ્યાર્થીને મૂંઢ માર મારી દિવાલ સાથે માથુ અથડાવી જ ઈજા કરી હતી.

આ ફરીયાદ અંગે શાળાના આચાર્ય જેઠવાએ જણાવ્યું હતું કે, 2 શાળામાં તા. ૧૧.૯ ના રોજ સરકાર દ્વારા ગૂજરાત રાજય સંગીત નાટક અકાદમી દ્વારા મેઘાણીજીની ૧૨૮મી । જન્મ જયંતી નિમિત્તે લોકડાયરાનું મેઘાણી હાઈસ્કુલમાં કાર્યક્રમમાં વિદ્યાર્થીએ ખુબ જ ગેરવર્તણુંક કરતો હોય જેથી વારંવાર ટપારતા તેમણે ધમકી આપી હતી. કે તમારા વિરૂધ્ધ પોલીસ કેસ કરીને નોકરીમાંથી છ કઢાવી મુકીશ. એ ભ અનુસંધાને વિદ્યાર્તીનાવાલી દ્વારા ખોટો જ કેસ ઉભો કરીને શાળાને બદનામ દ કરવાની કોશિષ કરવામાં આવે છે. શાળામાં અમુક વિદ્યાર્થીઓ લાસમાં 2 ગેરવર્તણૂંક કરતા હોય ત્યારે આવા વિદ્યાર્થીઓને વાલીઓ છાવરતા હોવાની પણ ફરીયા ઉઠવા પામી છે.